“ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ”
ખાડિયામાં ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે, ચૂંટણી આવે એટલે એમના માટે ઇલેક્શન ટુરિઝમ. યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરે છે. પરંતુ લોતોને વંદન કે અભિનંદન 1972થી 2026 સુધીમાં તમે એમનું કામ પૂરું થવા નથી દીધું.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આપણે સંકલ્પ કરીએ કે, શહેર આખામાં કોઈની નજર હોય કે ન હોય પરંતુ ખાડિયાને આપણે પાકિસ્તાન થવા નહીં દઈએ. એ લોકો આવે તો એમને કહી દેવાનું કે આ ખાડિયા છે, ભારત માતા કી જય. જય હિન્દુસ્તાન. ભલે અમે થોડા ઓછા થયા પણ વાંધો નહીં, અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનશાઓ અમે પૂરી થવા નહીં દઈએ. ભૂષણ ભટ્ટે એમ પણ જણાવ્યું કે, એમની પાસે કોઈ વિચાર નથી. ખાડિયામાં તેમને પ્રવાસી ઉમેદવારો કેમ લાવવા પાડ્યા?